સાવરકુંડલા, જી. અમરેલી
Monday - Friday 08:00-16:00
૦૨૮૪૫-૨૯૯૩૨૦
Font Size  

શ્રી ગુજરાત રામાંદની સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ

શ્રી બજરંગદાસબાપા રામાનંદ ગુરૂકુળ કન્યા છાત્રાલય સાવરકુંડલાને બંન્ને સંતોના આશિર્વાદ સાથે તેઓના કરકમળો દ્વારા સંસ્થાનુ ખાતમુહૂર્ત કરી આર્થિક સિંચન કરી વટવૃક્ષ બનાવનાર...

વધારે વાંચો   સંપર્ક કરો

૫.પૂ.દયારામબાપા, ડો. સુભાર્ષભાઈ અગ્રાવત, પૂ. ઘનશ્યામદાસબાપુ (રાઘવ), પૂ.ચંદુબાપુ અગ્રાવત, શ્રીમતી ઉશમિલાબેન સુભાર્ષભાઈ અગ્રાવત

શ્રી બજરંગદાસબાપા રામાનંદ ગુરૂકૂળ કન્યા છાત્રાલય - સાવરકુંડલા

શ્રી માનનીય પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીશ્રીઓ,

હૃદયની લાગણી ભરેલા સીતારામ... 

શ્રી અરૂણભાઇ દેવમુરારી, શ્રી ઘનશ્યામભાઇ વી. રામનુજ(રાઘવ), શ્રી અશ્વિનભાઇ પી. રામાનુજ, પરબ્રહ્મ પરમાત્મા સદાશિવ ભગવાન શ્રી શંકર ગુરુડજીને કહે છે કે, “હરી વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ સે પ્રગટ

હોહી મેં જાના” એવો જ આપનો નિખાલસ પ્રેમભાવ, લાગણી, સહૃદય ભાવના નિહાળીને મને ખુબ ખુબ આનંદ થયો. આપ સૌ ટ્રસ્ટી મંડળે “ટ્રસ્ટ અને ટ્રસ્ટી” શબ્દાર્થને આપના પુરુષાર્થ દ્વારા પ્રેમ સહીત જ્ઞાતિના હિતાર્થે કન્યા છાત્રાલયને આપ સૌના ઉમદા પ્રયાસથી આ છાત્રાલય ઉજ્વળ બન્યું છે. આપે સર્વેએ રામાનંદી જ્ઞાતિના સંસ્કાર અને શિસ્તતા અને સંસ્કૃતિ જાળવી રાખી અને ભાવ સહીત સેવા સ્વીકારી છે. તે બદલ આપને ખુબ – ખુબ ધન્યવાદ છે. મારા રામે ત્યાં છાત્રાલયની મુલાકાત લીધી ખુશ થયો. ખુબ જ સુંદર સાત્વિકતા અને ચોખ્ખાઇ જોઇ મને ખુબ આનંદ થયો. વિદ્યાર્થીની બાળાઓ સંયમ, નિયમ પૂર્ણ પાલન કરી દીપાવે છે. આદર્શ જીવન બનાવી ખુબ આગળ વધે તેવો આપનો ધ્યેય પ્રયત્ન ખુબ જ સરાહનીય છે. શરૂઆતમાં દયારામબાપા - ધીરજરામબાપા અમો બંને ત્યાં સીતારામબાપુને મળ્યાં અને તેમને અમારા વિચારોની રજૂઆત કરી. સીતારામબાપુ, “અહી જો કન્યા છાત્રાલય બને તો ખૂબ જ સારું” છાત્રાલય માટે જમીન જોઇએ. આ જાણી ખુશ થયા કન્યા છાત્રાલય માટે જગ્યા આપવા સહમત થયા અને ખુશ થયા. આજે આપ સૌ કાર્યકર્તા ભાઇઓએ શિખરછત્ર બનાવી દીધું. શાંત વાતાવરણ-વ્યવસ્થા પણ સારી, રસોઇયા બહેનો અને ગૃહમાતા બેન અને ગૃહપતિ પણ ખૂબ જ સેવાભાવી મનના ઉત્સાહ સાથે કાર્ય કરતાં રહે છે. જેમ કહ્યું છે કે “પરહિત બસે જિનકે મનમાંહી ઇન કહે જગ દુર્લભ કછું નાહી” એવી રીતે પરહિત માટે કાર્ય કરનારને જગતમાં, દુનિયામાં અઘરું કંઇ જ નથી. આપ સૌનો ભાવ બાલિકા પ્રત્યેની વાત્સલ્ય સદા અહોભાવ વર્ષા કરે અને આપના આ ભગીરથ કાર્યસમ વિકાસ થતો રહે અને ગુરુકૃપા, દેવકૃપા અને ઇશકૃપા અને બજરંગદાસબાપા શુભાષિશ ઉતારે.

અને સાત હનુમાનજી મહારાજ લીંબડીયા મારા રામ તરફથી ગુરુવંદના સાથે શુભાષિશ શુભેચ્છા...

“સર્વે સુખીના સન્તુ સર્વે સન્તુ નિરામયા” શુભાષિશ

અમારા વિશે

વર્ષો પહેલા રામાનંદી સાધુ સમાજના દિવ્ય સમૂહમાં એક એવા સંતનો જન્મ થયો કે જેમણે જગત આખાને એક સેવાનો સંદેશ અને રામનામની માળા જપવાની પ્રેરણા આપી. ઝાંઝરીયા હનુમાનજીની જગ્યામાં આ દિવ્ય આત્મા પ્રગટી જેમનું નામ સંત શિરોમણી શ્રી બજરંગદાસબાપા હતું. અને અમર છે. તેમને પોતાના ગુરુપદ માનીને પોતાના જીવનને દયાનો સાગર સાર્થક કરીને સમાજ માટે શ્રી દયાના સાગર દયારામબાપા (દ્વારકાપુરી) નામક સંતે આ સમાજને ઘણું યોગદાન અર્પણ કર્યું. તે સંતોને લાખ-લાખ વંદન... આવો...વાત કરીએ આવા મહાસંત દ્વારા પ્રસ્થાપિત શ્રી બજરંગદાસજી બાપા રામાનંદ ગુરુકુળ કન્યાછાત્રસંકુલ, સાવરકુંડલાના ઈતિહાસની...

સાવરકુંડલા અમરેલી, જીલ્લાનો તાલુકો ત્યાં હાથસણી રોડ પર પ.પૂ. શ્રી સીતારામ બાપુ નામક સંતનો શ્રી ઉતાવળા હનુમાનજી મહારાજનો આશ્રમ. સીતારામ બાપુ, ૮૦ થી ૮૫ વર્ષની વયના હતા. તેઓની થોડી તબિયત નાદુરસ્ત રહેતી ત્યાં આપણા રાજયમંડળના પૂર્વ પ્રમુખશ્રી ઘનશ્યામદાસજી વજેરામજી રામાનુજ (રાઘવ) રોજ મંદિરે દર્શનાર્થે જતા. જેઓ પી.ડબલ્યુ.ડી.માં ઓફિસર હતા. તેઓ સીતારામ બાપુને સમયસર તબિયતની કાળજી રાખતા અને જમવાનું પોતાના ઘરેથી ટીફીન લાવીને ભોજન પ્રસાદ પીરસતા. સીતારામ બાપુ દિવ્ય આત્મા હતા. માટે તેમને વિશ્વાસ આવતા તેમણે પૂ. ઘનશ્યામદાસબાપુને ઉતાવળા હનુમાનજી આશ્રમની વિશાળ જગા સોંપવાનો નિર્ધાર કર્યો. પણ પૂ. ઘનશ્યામ બાપુએ ના પાડી... તે વખતે સાવરકુંડલા તાલુકા મંડળના પ્રમુખ તરીકે પૂ. લક્ષ્મીરામ બાપુ (વંડા) અને મંત્રી તરીકે પૂ. રાઘવબાપુ હતા. તાલુકા મંડળ દ્વારા પૂ. રાઘવબાપુએ સીતારામ બાપુની લાગણી સ્વીકારતા સમાજના મંડળ માટે જમીનની માંગણી કરી તેથી બાપુ રાજી થયા અને તેમણે કહ્યું કે તમે લીટોદોરો એટલી જમીન તમારી. પછી પૂ. ઘનશ્યામબાપુ (રાઘવે) જેટલું નિશાન કર્યું તેટલી જગા તાલુકા મંડળ માટે અને સમાજના ઉધ્ધાર માટે મળી... આ જમીનને સ્વીકારતા ફરતો વંડો કરવા માટે તે વખતે કુંડલા તાલુકા પાસે સક્ષમતા નહોતી. માટે પૂ. ઘનશ્યામબાપુ પી.ડી.ડબલ્યુ.ડી.માં સર્વિસ કરતા તેમના મિત્રો પાસેથી પથ્થર, રેતી અને સિમેન્ટનો સહિયારો સહયોગ એકત્ર કર્યો. આશ્રમની દીવાલ રચાણી ત્યારબાદની હોદ્દેદારોમાં ડો. લશ્કરી સાહેબ પ્રમુખ અને શ્રી ચંદુબાપુ અગ્રાવત મંત્રી સ્થાને આવ્યા અને આ જમીનના ઉપયોગાર્થે વિચારણા શરૂ કરવામાં આવી. પૂ. ઘનશ્યામબાપુએ વિચારણાને અંતે પૂ. દયારામબાપાને મળીને જગાનો સદ્ઉપયોગ થાય તે માટે પ્રયત્નો શરૂ કર્યા.

હવે પછી...

તે વખતે ધીરજરાજમભાઈ અગ્રાવત (સમાજઅગ્રણી) વિસાવદર ખાતે પોતાના પરિવાર સાથે ડોક્ટરી વ્યવસાયમાં હતા. પરિવારને સમાજ પ્રત્યે લાગણી...તે વખતે આપણા રાજયમંડળના પ્રમુખશ્રી મણીરામબાપુ અને મંત્રીશ્રી અરવિંદભાઈ લશ્કરી હતી. પૂ. ઘનશ્યામદાસબાપુ અને શ્રી ચંદુબાપુ પાલીતાણા મુકામે ડો. સુભાષભાઈ અગ્રાવત સાહેબના મુકામે મુલાકાતાથે ગયા. યોગાનુયોગ સુભાષભાઈના પૂજ્ય પિતાશ્રી ધીરજરામબાપુ અગ્રાવત ત્યાં હાજર હતા. સુભાષભાઈ પાસે પ્રસ્તાવ મુક્યો. રાજયમંડળના પ્રમુખ તરીકે વરણી કરવા અંગે વિચારણા હાથ ધરી છે. આપને મળવા આવ્યા છીએ. ડો.સુભાષભાઈએ અતિવ્યવસાયિક વ્યસ્તતાના સંદર્ભે પહેલા ના પાડી પરંતુ અતિ આગ્રહ કરતા પૂ. ધીરૂબાપુ અગ્રાવત (પિતાજી)ની આજ્ઞા પાલન કરીને ૧૧ મહિના સુધી પ્રમુખ તરીકે રહેવા તૈયારી દાખવી.

સંત મિલન સમાજ ઉત્થાન:

હવે ત્યારબાદ... શ્રી ઘનશ્યામબાપુ અને ચંદુબાપુ પૂ. દયારામ બાપા પાસેથી સમય લઈને ગારિયાધાર સંત મિલને ગયા. સાથે ડો. સુભાષભાઈ પણ આ દિવ્ય કાર્યમાં સમય કાઢી જોડાયા. રાત્રિના ભોજન પ્રસાદ પછી બેઠક કરી ને પૂ. સીતારામબાપુએ આપેલ જમીનદાન વિષયક પૂ. દયારામબાપાને વાત કહી. બાપાનું માર્ગદર્શન લેતાં બાપાના શબ્દો, સુંદર વચનો સાંભળતા બાપાનો આદેશ સ્વીકાર્યો. પૂ. બાપાના શબ્દો સમાજ માટે કંઈક કરવું હોય તો પૂ. બજરંગદાસ બાપાને દીકરીઓ ખૂબ જ વહાલી હતી. માટે આપણા સમાજમાં ઘણા પરિવાર મધ્યમ વર્ગના છે. શિક્ષણથી વંચિત છે. દીકરીઓને આગળ ભણાવી શકે તેમ પણ નથી. માટે બાપાના નામની સંસ્થા જો ઉભી કરો તો પૂ. બજરંગદાસબાપાના આશીર્વાદથી દીકરીઓ અને સમાજ પ્રગતિ કરશે.

દીકરીઓના વિકાસ માટે
સમાજની પ્રગતિની દિશામાં પ્રથમ પગથિયું
કન્યા છાત્ર સંકુલનું બાંધકામ

છાત્ર સંકુલના બાંધકામ માટે શ્રી દયારામબાપાએ એસ્ટીમેન્ટ તૈયાર કરી લાવવાનું કહ્યું અને સાથે કોઈ દાતાશ્રીને પણ લઈને આવવા સૂચન કર્યું. એ અરસામાં સિંગાપુરથી દલપતરામ દેવમુરારી ગોપાલગ્રામ આવેલ તેને શ્રી ચંદુબાપુ અને ઘનશ્યામબાપુ મળવા ગયા, ચર્ચા વિચારણા કરી અંતે ફરીથી બાપાનો સમય માંગી બાપાને મળવા ગયા. રૂા. ૩,૫૦,૦૦૦/- નો બાંધકામ માટેનો એસ્ટીમેટ રજૂ કર્યો. પૂ. બાપાએ દલપતરામભાઈને આજ્ઞા કરી કે તમે શું ફાળો આપો છો? તે વખતે દલપતરામભાઈએ ૩૦,૦૦૦/- ના બોન્ડ આપી જેની પાકતી તારીખે ૬૦,૦૦૦/- રૂા. મળે તેવું દાન જાહેર કર્યું. સુભાષભાઈ અગ્રાવતને પણ તમો રૂપિયા ૧ લાખનું દાન આપો. તેવું કહી પૂ. બાપાએ પણ રૂપિયા ૧ લાખનું દાન જાહેર કર્યું. બાકીની ખૂટતી રકમ માટે વિચારણા કરી, અંતમાં ઈનામી ડ્રો રાખી ટીકીટની વહેંચણી કરવી અને રકમ ભેગી કરવાનું નક્કી થયા બાદ ઈનામમાં મોટર સાયકલો પણ રાખ્યા. રૂા. ૬૪૦૦૦/- જેવી રકમ મળી ત્યારપછી ઉમરાળા મુકામે રાજ્યમંડળની કારોબારી મળી ત્યાં કન્યા છાત્રાલય વિશે દરખાસ્ત મૂકવામાં આવી. રાજય મંડળે સાથ સહકાર આપવા જણાવ્યું. અમુક સભ્યોએ સાવરકુંડલા નાનું ગામડું હોય આવી સંસ્થા ના કરાય. મોટા શહેરોમાં કરાય તેવા સૂચનો કર્યા. શ્રી ઘનશ્યામબાપુ, ચંદુબાપુ અન્ય મિત્રોએ રજૂઆત કરી કે સાવરકુંડલામાં ધો. ૧ થી કોલેજ સુધીના અભ્યાસ છ. અને પૂ. દયારામબાપાના સાવરકુંડલા માટેના આશિર્વાદ છે. તો રાજયમંડળે મંજૂરી આપવી જોઈએ. ત્યારે મતદાનનો પ્રશ્ન આવ્યો અને સાવરકુંડલા અને અન્ય શહેરો વચ્ચે મતદાન થતા સાવરકુંડલા ૧ મતથી વિજેતા થયું.

રાજય મંડળની શરત :

છાત્ર સંકુલ ઉભું કરવા માટે રાજયમંડળ તૈયાર થયું. પછી શરત પણ મૂકી. જમીન દસ્તાવેજ સાવરકુંડલા તાલુકા મંડળ નામે હતો તે ફેરવીને રાજયમંડળના નામે કરવો...એમાં પણ ૫.પૂ. બજરંગદાસબાપાનો પ્રથમ ચમત્કાર સોનામાં સુગંધ ભળે તેમ ભળી ગયો... છાત્રાલયનું બાંધકામ શરૂ થતા પાણીની વ્યવસ્થા માટે બોર કરવાનું નક્કી કર્યું અને ૩૦૦ ફૂટ ઉંડે જતા પણ પાણી આવેલ નહી. ફંડની અછત હોવાથી મુંઝવણ થઈ, પરંતુ પૂ. બજરંગદાસ બાપાને વિનંતી પ્રાર્થના કરી ત્યારે બોરવાળાએ પોતાના તરફથી ૧૦ ફૂટ ફ્રીમાં નાખી દેવાનું કહ્યું ત્યારે ૧૦ ફૂટમાંથી ખૂબ જ પાણી આવ્યું. ત્યારથી પૂ.બજરંગદાસબાપા, પૂ.દયારામ બાપા અને પૂ.ઘીરજરામબાપાના

આશિર્વાદ વરસતા રહ્યા છે. અને આજે સંસ્થા મોટું વટવૃક્ષ થઈ ગઈ છે. જેની છત્રછાયાના ફળ અત્યારે સમાજની ઘણી દીકરીઓને પ્રાપ્ત થઈ રહ્યા છે.

વિશેષ સંસ્થા વિષયક ::
સંસ્થાની સ્થાપના : ૧૯૯૦-૧૯૯૧
ખાતમુહૂર્ત: પૂ. દયારામબાપા અને પૂ. ધીરાબાપાના હસ્તે તા. ૨૭-૫-૧૯૮૭
રામદૂત: સંમેલન દ્વારા છાત્રાલયની જાણ
સૌ પ્રથમ સુવિધા: ૫ રૂમ અને ભોજનાલય અને મંદિર, ખુલ્લું વાતાવરણ


સ્થાપનાકાળથી અવિરત સેવાઓ આપનાર શ્રેષ્ઠીઓ

૫.પૂ.દયારામબાપા                        ડો. સુભાષભાઈ અગ્રાવત
પૂ.ઘનશ્યામદાસબાપુ (રાઘવ)         શ્રીમતી ઉર્મિલાબેન સુભાષભાઈ અગ્રાવત
પૂ.ચંદુબાપુ અગ્રાવત
છાત્ર સંકુલ (કન્યા છાત્રાલયનો) : પ્રથમ વિચાર : ૫.પૂ. ઘનશ્યામદાસબાપુ (રાઘવ) ૫.પૂ. શ્રી દયારામબાપા અને

પ્રથમ પાંચ વર્ષ ભોજનના દાતા:

બહેનોની ફી ન લેવાની શરૂઆતથી ૫.પૂ. દયાના સાગર દયારામ બાપા.... પૂ.દયારામબાપા દ્વારા સંસ્થાને પગભર કરવા માટે કાયમી નિભાવ ફંડ માટે તિથિ અનુદાન રૂા. ૧૧૧૧/-ની તિથિ શ્રી બજરંગદાસ બાપાના નામે શરૂ કરી તેમજ બાપાની તિથિ પોષ વદ-૪ (અનુદાન ફંડ હાલ ૩૫ લાખ સુધી પહોંચ્યું છે.)

સમાજની યોજના:

દત્તક યોજના....સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા અને દાતાઓ દ્વારા દિનપ્રતિદિન ૫૦૦૦/- નું યોગદાન મળતું રહ્યું અને ભૌતિક સુવિધાનો પણ વધારો થતો રહ્યો. નવા રૂમના બાંધકામ માટે દાતા દ્વારા દક્ષિણ દિશા તરફ નવા ત્રણ રૂમ અને શૌચાલયની સુવિધામાં વધારો થયો. શિક્ષણમાં વધારો થવાથી છાત્રબાળાની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થતો રહ્યો છે. અનેક સમાજના સુખી સંપન્ન શ્રેષ્ઠીઓએ આ સંસ્થાને દાન અર્પણ કરી આજે આ સંસ્થાને ત્રણ માળ સુધીનું શિખર પ્રાપ્ત કરાવ્યું છે અને દીકરીઓની આ શૈક્ષણિક સંસ્થાના વિકાસમાં પુણ્યદાન કરી સમાજને ગૌરવ અપાવ્યું છે.

છાત્ર સંકુલની ૧૯૯૦-૯૧માં શરૂઆત થઈ. શિક્ષણ એ સમાજનું દર્પણ છે. માટે છાત્ર સંકુલમાં શિક્ષણ વિભાગના વ્યવસ્થાપક અને સ્થાનિક ટ્રસ્ટી તરીકે શ્રી અરૂણભાઈ ડી. દેવમુરારીની પાંખ સમાજના ઐતિહાસિક સેવાકાળમાં પ્રવેશી યુવાનવયે રાજયમંડળ સાથે જોડાયા. સંચાલન સમિતિ, સહવ્યવસ્થાપક, વ્યવસ્થાપક, શિક્ષણની બાબતો સંભાળતા રામભક્તમાં સંપાદકની કામગીરી બજાવી. ટ્રસ્ટી, મહામંત્રી પદ સુધી તેઓ અવિરત પોતાનું યોગદાન અર્પણ કરી રહ્યા છે. યુવાનોને તેમનામાંથી પ્રેરણા લેવી જોઈએ. હાલશ્રી અરૂણભાઈ રાજયમંડળના મહામંત્રી તરીકે પોતાની શોભાથી સમાજને ગૌરવાવિંત કરી રહ્યા છે.

અને અમો આભારી છીએ...હાલના રાજયમંડળના પ્રમુખશ્રી ડો. અશ્વિનભાઈ પી. રામાનુજના કેમ કે અમોને આ પાવન કાર્ય માટે રજા આપી. સમાજ ગૠણી રહેજે જેઓ ૧૯૯૨-૯૩માં રામદુતના માધ્યમથી જોડાયા અને ભૂતકાળમાં ઘણા વિશેષ હોદ્દા પર રહીને સમાજની શોભામાં વૃધ્ધી કરતા રહ્યા છે, તેમની સેવાની નાવ હાલમાં પણ સમાજના અને સંસ્થાના વિકાસાર્થે અવિરત છે.

સંસ્થા નું રજિસ્ટ્રેશન

શ્રી ગુજરાત રામાનંદી સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ
સોસાયટી એક્ટ રજી નં.ગુજ./૨૪૨
ટ્રસ્ટ રજી નં.એફ/૧૯૧ ભાવનગર


ડોનેશન માટે 80G

શ્રી ગુજરાત રામાનંદી સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ - સાવરકુંડલા
સંસ્થાને 80-G હેઠળ કરમુકતી મળેલ છે.
80G No.: AAFTS4033AF20218
સંસ્થાને દાન આપનાર દાતાને 80-G મુજબ કરમુકતી મળશે.

આપણો ઈતિહાસ

1987

 

ખાતમુહૂર્ત

પૂ. દયારામબાપા અને પૂ. ધીરાબાપાના હસ્તે તા. ૨૭-૫-૧૯૮૭

1990

 

સંમેલન દ્વારા છાત્રાલયની જાણ

સૌ પ્રથમ સુવિધા ૫ રૂમ અને ભોજનાલય અને મંદિર, ખુલ્લું વાતાવરણ

2014

 

ઉજવણી

25 વર્ષની ઉજવણી

પ્રવૃત્તિઓ

  • અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હામાપર નિવાસી શ્રી તેજસબાપુ ભીખારામબાપુ દેવમુરારી અને દેવાંગભાઈ ભીખારામબાપુ દેવમુરારીના માતૃશ્રી સમજુબેન ભીખારામબાપુ દેવમુરારી (ઉ.વ.-૮૧) તા.૨૪/૧૦/૨૦૨૪, સંવત ૨૦૮૦ના આસો વદ-૮ ગુરૂવારના રોજ સાકેતવાસી થતા તેમના આત્મ કલ્યાણાર્થે સંવત ૨૦૮૧ ના કારતક સુદ -૨ ને રવિવાર તા.૦૩/૧૧/૨૦૨૪ ના રોજ આદર્શ ભદ્રોત્સવનું આયોજન કરેલ, નામી-અનામી સંતો પધારી ધર્મલાભ સાથે શ્રધ્ધાંજલી પાઠવેલ આ પ્રસંગે પરિવાર અને દોહિત્ર તરફથી લ્હાણા ને બદલે જરૂરત મંદ સંસ્થાઓને દાન કરેલ સાકેતવાસી સમજુબાના ભત્રીજા શ્રી રજનીકાંતભાઈ ભક્તિરામભાઈ કુબાવત- અંબાળા તરફથી ફૈઈબાની કાયમી સ્મૃતિમાં શ્રી બજરંગદાસબાપા રામાનંદ ગુરૂકુળ કન્યા છાત્રાલયને કાયમી મિષ્ટભોજન તિથી રૂા. ૧૫,૧૧૧/-નું દાન અર્પણ કરેલ, સાથે અમરેલી રામાનંદ કુમાર છાત્રાલયને પણ કાયમી મિષ્ટભોજન તિથિ રૂા. ૧૧,૦૦૦/- નું . પુણ્યતિથિ : આસો વદ-૮ શ્રાધ્ધતિથી :ભાદરવા વદ-૮ શ્રી બજરંગદાસબાપા રામાનંદ ગુરૂકુળ કન્યા છાત્રાલય સાવરકુંડલાને મિષ્ટભોજન તિથી યોજના અંતર્ગત રૂા. ૧૫,૧૧૧/- નું દાન (હામાપર)
  • સાવરકુંડલાના અગ્રણી વેપારી જીતેન્દ્રભાઈ જગજીવનદાસ ગઢીયા (ગઢીયા પ્રોવિઝન સ્ટોર)ના ધર્મપત્ની ગીતાબેન જીતેન્દ્રભાઈ ગઢીયા સંવત ૨૦૭૮ના મહા વદ-૨ તા.૧૮/૦૨/૨૦૨૨ ના રોજ ગૌલોકવાસી થતા તેઓની કાયમી સ્મૃતિમાં શ્રી બજરંગદાસબાપા રામાનંદ ગુરૂકુળ કન્યા છાત્રાલય સાવરકુંડલા સંસ્થાની ચાલતી મિષ્ટભોજન યોજનામાં શ્રીદયાવિધી કાયમી નિભાવ ફંડ અંતર્ગત સ્વર્ગસ્થની તિથિના દિવસે પ્રતિવર્ષ છાત્રાબાળાઓને મિષ્ટ ભોજન આપવા માટે રૂા.૧૫૧૧૧ નું દાન મળેલ છે. પૂણ્યતિથી : મહા વદ-૨ (બીજ) શ્રી બજરંગદાસબાપા રામાનંદ ગુરૂકુળ કન્યા છાત્રાલય સાવરકુંડલાને કાયમી મિષ્ટભોજન તિથિ યોજના અંતર્ગત રૂા. ૧૫૧૧૧/-નું દાન સાવરકુંડલા
  • ગઢીયા પ્રોવિઝન સ્ટોર સાવરકુંડલા શ્રી જયસુખભાઈ જગજીવનદાસ ગઢીયાના ધર્મપત્ની ગૌલોકવાસી નિર્મળાબેન જયસુખભાઈ ગઢીયાની કાયમી પૂણ્ય સ્મૃતિમાં શ્રીબજરંગદાસબાપા રામાનંદ ગુરૂકુળ કન્યા છાત્રાલય સાવરકુંડલા સંસ્થાની ચાલતી મિષ્ટભોજન યોજનામાં શ્રીદયાવિધી કાયમી નિભાવ ફંડ અંતર્ગત સ્વ.ની તિથિના દિવસે છાત્રાબાળાઓને પ્રતિવર્ષ મિષ્ટભોજન આપવા માટે રૂા.૧૫૧૧૧/- નું દાન મળેલ છે. પૂણ્યતિથી : ભાદરવા સુદ-૪ (ચોથ) શ્રી બજરંગદાસબાપા રામાનંદ ગુરુકુળ કન્યા છાત્રાલય સાવરકુંડલાને કાયમી મિષ્ટભોજન તિથિ યોજના અંતર્ગત રૂા. ૧૫૧૧૧/-નું દાન સાવરકુંડલા
  • આપણી જ્ઞાતિના હીત ચિંતક અગ્રણી શિક્ષણ પ્રેમી સા.વા. રસીકભાઈ સી. વૈષ્ણવ, શ્રી કાંતિભાઈ સી. વૈષ્ણવ અને ડૉ. ઈન્દુભાઈ સી. વૈષ્ણવ આ ત્રણેય ભાઈઓ આપણી શૈક્ષણિક સંસ્થા અમદાવાદ,ભાવનગર, રાજકોટમાં પદાધિકારી તરીકે રહી ખૂબ જ સમાજની સેવા કરી તેમના પરિવારને પણ શિક્ષણ અપાવી સમૃધ્ધ કર્યા સૌ નોકરી વ્યવસાયમાં લાગી ગયા પણ આ વડીલોએ તેમના માતા-પિતાની કાયમી સ્મૃતિમાં તેમના નામનું ટ્રસ્ટ બનાવી પરિવારના દરેક ભાઈઓ પુત્રોને તેમાં રાખી સેવા કાર્યમાં જોડયા ટ્રસ્ટ દ્રારા પ્રતિવર્ષ આપણી ગુજરાતની દરેક છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા બાળકોને રૂબરૂ જઈ ફૂલ સ્કેપના ચોપડા (નોટબુકો) આપે છે. સાવરકુંડલા સંસ્થામાં તા.૧૯/૧૦/૨૦૨૪ રોજ પૂજ્ય રસિકભાઈ ના પુત્ર નર્મદા નગર ભરૂચ થી દિપકભાઈ અને પુત્રવધુ શ્રીમતિ નીતાબેન તેમજ અંકલેશ્વર થી કાંતિભાઈના પુત્ર ગૌતમભાઈ અને પુત્રવધુ શ્રીમતિ દિનાક્ષીબેન રૂબરૂ આવ્યા સંસ્થા દ્રારા તેઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું બાદ છાત્રાબાળાઓનો પરિચય સાથે દરેક બહેનોને ૬ ચોપડા અર્પણ કરવામાં આવ્યા સંસ્થા ટ્રસ્ટીઓ, પ્રમુખ શ્રી અરૂણભાઇ, પૂજ્યશ્રી ઘનશ્યામબાપુ (રાઘવ) તેમજ સહમંત્રી હિતેષભાઈ કુબાાવત હાજર રહી મહેમાનોને આવકારી એમનો આભાર વ્યક્ત કર્યો દિપકભાઈ વૈષ્ણવે તેમનો પ્રતિભાવ આપી બાળકોને સારૂં શિક્ષણ મેળવી ખૂબ જ આગળ વધે તેવી શુભકામના પાઠવી મહેમાનો સાથે સૌ છાત્રાબાળાઓ સાથે રાત્રીનું ભોજન લીધુ, બાદ રાત્રી મુકામે પણ ગુરૂકુળે રહી અમોને લાભ આપ્યો ‘‘આભાર’’ શ્રી બજરંગદાસબાપા રામાનંદ ગુરૂકુળ કન્યા છાત્રાલય સાવરકુંડલાને બંન્ને સંતોના આશિર્વાદ સાથે તેઓના કરકમળો દ્વારા સંસ્થાનુ ખાતમુહૂર્ત કરી આર્થિક સિંચન કરી વટવૃક્ષ બનાવનાર...

લોકો શું કહે છે

  • સ્વ.શ્રી જયંતીલાલ રામદાસ નિરંજની ના ભદ્રોત્સવ પ્રસંગે શ્રી બજરંગદાસ બાપા રામાનંદ ગુરુકુળ કન્યા છાત્રાલય સાવરકુંડલ ને સોલાર રૂફટોપ ફોટો તકતી અંતર્ગત ₹ ૫૧,૧૧૧/ નું અનુદાન આપવામા આવેલું છે અનુદાન આપવા બદલ નિરંજની પરિવાર નો શ્રી ગુજરાત રામાનંદી સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. લી. હરસુખરામ ગોપાલદાસ અગ્રાવત જગદીશચંદ્ર ગોપાલદાસ અગ્રાવત નિતીનભાઈ ગોપાલદાસ અગ્રાવત બીપીનકુમાર મોહનદાસ કુબાવત દિનેશકુમાર તુલસીદાસ કુબાવત નરેન્દ્રભાઈ જયંતીલાલ નિરંજની જીતેન્દ્ર ચંદુભાઈ નિરંજની રોમિન નરેન્દ્રભાઈ નિરંજની બ્રિજેશ નરેન્દ્રભાઈ નિરંજની મનીષકુમાર મનોજભાઈ અગ્રાવત
  • તા.૨૧/૧૨/૨૦૨૪ ના રોજ સ્વ શ્રી જગજીવનદાસ કાનદાસ રામાવત ભાવનગર ના ભદ્રોત્સવ પ્રસંગે શ્રી બજરંગદાસ બાપા રામાનંદ ગુરુકુળ કન્યા છાત્રાલય સાવરકુંડલાને મિષ્ટી ભોજન તિથિ યોજના અંતર્ગત ₹ ૧૫,૧૧૧/ નું અનુદાન આપવામા આવેલું છે અનુદાન આપવા બદલ રામાવત પરિવાર ભાવનગર નો શ્રી ગુજરાત રામાનંદી સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. શ્રી દલપતભાઈ જે રામાવત,શ્રી ભરતભાઈ જે રામાવત શ્રી સુધીરભાઈ જે રામાવત ચિ.હિરેન ડી રામાવત ચિ .ધ્રુવિન બી રામાવત
  • તા.૧૯/૧૨/૨૦૨૪ ના રોજ સ્વ.શ્રી ઈશ્વરદાસબાપુ શિવરામદાસ પિપાવત (કારિયાણી) ના ભદ્રોત્સવ પ્રસંગે શ્રી બજરંગદાસ બાપા રામાનંદ ગુરુકુળ કન્યા છાત્રાલય સાવરકુંડલાને મિષ્ટી ભોજન તિથિ યોજના અંતર્ગત ₹ ૧૫,૧૧૧/ નું અનુદાન આપવામા આવેલું છે અનુદાન આપવા બદલ પિપાવત પરિવાર કારિયાણી નો શ્રી ગુજરાત રામાનંદી સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ગં.સ્વ.શારદાબેન.ઈશ્વરદાસ પીપાવત, વસંતરાય.આઇ.પીપાવત, નિરંજનદાસ.આઈ.પીપાવત, મનીષભાઈ.આઈ.પીપાવત, કિરણભાઈ.આઈ.પીપાવત. મુ.કારિયાણી, તા.બોટાદ - ૩૬૪૭૧૦.
  • બોપલ અમદાવાદનિવાસી પ્રફુલચંદ્રભાઇ રામાવત ટ્રસ્ટી શ્રી ગુજરાત રામાનંદી સાધુ સમાજ ઉત્કર્ષ મંડળ ના ધર્મ પત્ની સરસ્વતીબેન ના 75 વર્ષ પૂર્ણ થતા જન્મદિવસે શ્રી બજરંગદાસ બાપા કન્યા છાત્રાલયને દયા વિધિ કાયમી નિભાવ ફંડ રૂપિયા 15,111 મિષ્ટભોજન તિથિ આપવામાં આવેલ છે જેને આ સંસ્થા સાભાર સ્વીકારે છે અને આપણા ટ્રસ્ટી ભાઈ શ્રી પ્રફુલભાઈ નો ખુબ ખુબ આભાર માને છે આપ સંસ્થાને યાદ કરીને ફંડ આપતા રહ્યા છો ,તે માટે આપનો ધન્યવાદ તથા આભાર જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા હેપ્પી બર્થ ડે બેન શ્રી સરસ્વતીબેન આપ દીર્ધાયુ જીવો અને સમાજની સેવા કરો તેવી શુભકામના સાથે ફરી ફરી જન્મદિવસની શુભકામના જય સીયારામ . પ્રફુલચંદ્રભાઇ રામાવત
  • જય સીતારામ આજ રોજ છાત્રાલયની મુલાકાત લીધી અમો આજે અમારા ટ્રસ્ટ દ્વારા છાત્રબાળાઓને ચોપડા વિતરણ કરવા આવેલા અહીયા પુ.ઘનશ્યામદાસ બાપુ,પુ.ચંદુદાદા તેમજ પુ.અરૂણભાઈ તરફથી સ્વાગત તેમજૂ આલોકો સાથે ખુબ શ્રેષ્ઠ સમય પસર કર્યો અહીંનું વાતાવરણ, દીકરીઓની શિસ્ત, ભાવ અને સ્નેહ જોઈને અમે ખુબ જ પ્રભાવીત થયા. હું આ છાત્રાલયની જુની છાત્રા છુ,તેથી અહીયાનું વાતાવરણ મને ખબર જ છે પરંતુ આજે પણ એજ કામ નિભાવતા વડીલોને જોઈને ખુબ જ ખુશી થઈ. તેમજ અત્યારની સુખ-સુવિધાઓ ઉતમ શિક્ષણની વ્યવસ્થા જોઈને ખુબ જ સંતુષ્ટ થયા છે એમ જ આ સંસ્થા ખુબ પ્રગતિ કરે અને આપણા સમાજને આ સંસ્થાનો લાભ મળે એવી પ્રભુની પાસે પ્રાર્થના સીતારામ બિંદુબેન વૈષ્ણવ અમદાવાદ, ३पा વૈષ્ણવ, જયદીપ ક્રાંતિલાલ વૈષ્ણવ, બ્રિજેશ આઈ.વૈષ્ણવ
  • જય સીતારામ આજ રોજ અમો શ્રી બજરંગદાસબાપા રામાંનદ છાત્રાલય સાવરકુંડલાની મુલાકાત લીધેલ. મે આ છાત્રાલયમાં સને ૨૦૦૭-૨૦૦૮ માં રહીને અભ્યાસ કરેલ ત્યારથી લઈ હાલ સુધીમાં આપડી રામાનંદ છાત્રાલયમાં ઘણો સારો એવો વિકાસ થયેલ છે તે જોઈને ઘણો આનંદ થયો અને આ પ્રગતિની કામગીરી જોઈ ખુબ જ આનંદ થયો છાત્રાલયની દીકરીઓ ભવિષ્યમાં ખુબ જ આગળ વધે તેવી પ્રભુ પાસે પ્રાર્થના છે. ખ્યાતિ પ્રવિણભાઈ ટીલાવત, શિલાણા તા.બગસરા
  • જય સીતારામ આજ રોજ અમો બજરંગદાસબાપા રામાંનદ છાત્રાલય સાવરકુંડલાની મુલાકાત લીધી.છાત્રાલયમાં રહેતી બહેનોનું કાર્ય તેમજ શિસ્તપાલન જોઈ ખરેખર ખુબ જ આનંદ થયો પૂ.ઘનશ્યામદાસબાપુને મળી ખુબજ આનંદ આવ્યો.સંસ્થાની સરસ માહિતી આપી.બાળાઓને મળી ખુબજ ખુશી વ્યક્ત કરી.આ સંસ્થા ઉતરોતર ખુબ જ ભવિષ્યમાં આગળ વધે તેવી રાધવેન્દ્રસરકારને પ્રાર્થના મનહરલાલ કે.ટીલાવત, શિલાણા તા.બગસરા
  • જય સીતારામ આજ રોજ અમે શ્રી બજરંગદાસબાપા રામાનંદ છાત્રાલય સાવરકુંડલાની મુલાકાત લીધી.છાત્રાલયમાં રહેતી બહેનોનું અનુશાસન વગેરે જોઈ ખુબ જ આનંદ થયો પુ.ઘનશ્યામદાસ બાપુના પ્રેમાળ સ્વભાવથી પણ અમો ખુબ જ પ્રભાવીત થય છાત્રાલયમાં રહેતી દિકરીઓ માટે બાપુ અને ટ્રસ્ટ દ્વારા થઈ રહેલી કામગીરી જોઈ ખુબજ આનંદ થયો છાત્રાલયની દીકરીઓ ભવિષ્યમાં ખુબજ આગળ વધે તેવી પ્રભુ પાસે પ્રાર્થના છે. વિરલ દેવેન્દ્રપ્રસાદ વૈષ્ણવ અંજાર - કચ્છ
  • જય સીતારામ આજ રોજ ભુજ(માધાપર)થી નીતીનભાઈ સાધુ પરિવાર સાથે છાત્રાલયની મુલાકાત લીધી છે અહિની પ્રવૃતિ અને કમ જોઈ ખુબ જ આનંદ થયો છે દિકરીઓ સાથે ખાસ સત્સંગ કરેલ છે. પૂ.બાપુ એ પણ ખુબજ સત્સંગ કરાવેલ છે.ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરેલ તે બદલ સંસ્થાના પ.પૂ.ઘનશ્યામબાપુ તેમજ સર્વ દિકરીઓનો અતઃકરણથી આભાર. નીતીન આર.સાધુ અગ્રાવત માધાપર-ભુજ-કચ્છ
Team Banner

હોદેદારો અને કારોબારી સભ્યશ્રીઓ

અમરદાસ આર. નિમાવત

ટ્રસ્ટી/ઉપાધ્યક્ષ - નિંગાળા

ઘનશ્યામદાસબાપુ (રાઘવ)

ટ્રસ્ટી/અધિક્ષક સાવરકુંડલા

ડો.અતુલભાઈ કે. દેવમુરારી

ટ્રસ્ટી/ઉપપ્રમુખ - રાજકોટ

ધર્મેન્દ્રભાઈ એન. પિપાવત

ટ્રસ્ટી/ઉપપ્રમુખ - અમદાવાદ

જગદિશભાઇ બી. અગ્રાવત

ટ્સ્ટી/મંત્રી - કોવાયા

અરૂણભાઇ ડી. દેવમુરારી

પ્રમુખ

ડૉ. અશ્વિનભાઈ પી. રામાનુજ

ટ્રસ્ટી/સંપાદક - પાલીતાણા

ભાનુભાઈ ડી. રામાનુજ

ટ્રસ્ટી/તંત્રી બોટાદ

મનિષભાઈ આઈ.પીપાવત

ટ્રસ્ટી/મહામંત્રી કારીયાણી

કિશોરકુમાર એચ. નિમ્બાર્ક

ટ્રસ્ટી/ચેરમેન પોરબંદર જીલ્લા કન્વીનરશ્રી

અશોકભાઇ જે. રામાનુજ

ટ્રસ્ટી/ખજાનચી ઘોળા ગોદડજી

કુમનદાસ એલ. નિમાવત

ટ્રસ્ટી - ચુડા, સોરઠ

અનિલભાઈ વી.પિપાવત

ટ્રસ્ટી અમદાવાદ

ડો.પ્રવિણભાઈ ડી. લશ્કરી

ટ્રસ્ટી - સાવરકુંડલા

વાસુદેવભાઈ પી. નિમાવત

ટ્રસ્ટી - વિસાવદર

રમણિકબાપુ દેવમુરારી

ટ્રસ્ટી - સુરત

પ્રફુલભાઈ ડી. રામાવત

ટ્રસ્ટી - બોપલ

ચંદ્રકાંતભાઇ આર. અગ્રાવત

ટ્રસ્ટી - વલ્લભવિદ્યાનગર

આશાબેન બી. વૈષ્ણવ

ટ્રસ્ટી - અંજાર

રજનીભાઈ બી. કુબાવત

ટ્રસ્ટી - સુરત

ગોરધનદાસ એ.અગ્રાવત

ટ્રસ્ટી - તલાલા

રમેશભાઈ એમ.દેવમુરારી

ટ્રસ્ટી - બોટાદ

ઇશ્વરભાઇ વી. લશ્કરી

ટ્રસ્ટી - ભાવનગર

રઘુવીરભાઈ એમ. રામાનુજ

ટ્રસ્ટી - જોરાવરનગર

ડૉ.સુભાષભાઈ ડી. અગ્રાવત

ટ્રસ્ટી - અમદાવાદ

લાભુબેન એમ. દેવમુરારી

ટ્રસ્ટી - જામનગર

સી.એ વસંતભાઇ પી. નિમાવત

ટ્રસ્ટી - મુંબઇ

રશ્મિકાંત(પારૂભાઇ) પી. અગ્રાવત

પૂર ટ્રસ્ટી - જામનગર

વૈધ ભુપતભાઇ એન. નિમાવત

પૂર ટ્રસ્ટી - અમરેલી

બટુકદાસ એસ. નિમાવત

પૂર ટ્રસ્ટી - અમદાવાદ

અમારો સંપર્ક કરો

  • સાવરકુંડલા
Address: શ્રી બજરંગદાસબાપા રામાનંદ ગુરૂકુળ કન્યા છાત્રાલય, સાવરકુંડલા-૩૬૪૫૧૫ જી.અમરેલી. ફોન : (૦૨૮૪૫) 299300 , મો.નં. 94098 51251 , 94274 91006 Phone:02845299300 Email:rambhakt.svkd@gmail.com OpenSunday - Sunday 08:00 - 18:00

અમને સંદેશ મોકલો

Please enter your name.
Please enter your valid E-mail ID.
Please enter your phone number.
Please enter your message.
Your message has been sent successfully.